રાજકોટ: પ્રદૂષણના પાપીઓનું વધુ એક પાપ, 35 જેટલાં બાળમજૂરોને CID ગુજરાત-NGOએ છોડાવ્યા
Hits: 1
રાજકોટમાં પ્રદુષણના પાપીઓ બાળકોનું બાળપણ છીનવી રહ્યા છે. સાડીના ઉદ્યોગકારો બાળકો પાસે મજૂરી કરાવીને બાળપણ છીનવી રહ્યા છે. CID ગુજરાત અને બચપણ બચાવો NGO દ્વારા રેડ પાડીને બાળમજૂરોને છોડાવવામાં આવ્યા છે. ADGP અનિલ પ્રથમની સીધી દેખરેખ હેઠળ રેડ કરવામાં આવી હતી. ભોજાધાર વિસ્તારમાં બે સાડી ફિનિશીંગના કારખાનામાંથી બાળ મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
સીઆઈડી ગુજરાત અને બચપણ બચાવો NGO દ્વારા ભોજાધાર વિસ્તારમાં ગાયત્રી સાડી ફિનિશિંગ અને અતુલ ફિનિશિંગમાંથી બાળમજૂરોને છોડાવવામાં આવ્યા છે. બંને ફિનિશિંગમાંથી 35 જેટલાં બાળમજૂરોને છોડાવવામાં આવ્યા છે. તમામ બાળમજૂરો પરપ્રાંતના છે. તમામને કારખાનામાં ગોંધી રાખવામાં આવ્યા હતા. નાની-નાની ઓરડીમાં જગ્યા સામે વધુ બાળકોને રાખવામાં આવ્યા હતા. આ તમામ બાળકો પાસે 12 કલાક કામ કરાવવામાં આવતું હતું. 12 કલાકની કાળી મજૂરી સામે માત્ર 200 રૂપિયા જ મજૂરી આપવામાં આવતી હતી. પૂરતું ખાવાનું પણ મળતું ના હોવાની ફરિયાદ બાળકોએ કરી હતી.
હાલ તમામ બાળકોને રાજકોટ કોવિડ ટેસ્ટ કરવા લઈ જવાયા હતા. કોવિડ ટેસ્ટ બાદ બાળ સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવશે. બાળકોને તેના માતા-પિતા પાસે પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હજુ પણ રેડ ચાલી રહી છે અને હજુ વધુ બાળમજૂરો પકડાય તેવી સંભાવના છે.
નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.
આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News